આપણી રાતનું અંધારું ગજાદાર નથી,
દોસ્ત અજવાળું થવામાં હવે બહુ વાર નથી
લ્યો, ફરીથી આ તમારા વિનાની સાંજ પડી,
એક પણ પળ હવે આગળ જવા તૈયાર નથી
એ બધું સીધું તો ક્યારેય તને કેં ન લખે,
એ ગઝલકાર છે બસ કોઈ અરજદાર નથી
કોઈ બીજી રીતે સમજાવો તો કઈ વાત બને,
સાવ એવું નથી કે આપના પર પ્યાર નથી
પાનખર વ્રુક્ષને નિશ્ચિત સમય પર મળતી,
માત્ર માણસને દુઃખોનો અહી અણસાર નથી
જીવવાનો અહી સીધો ને સરળ માર્ગ કહું?
બસ ગજાથી વધુ સુખ ધરવામાં સાર નથી
~ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment