ક્યાંક જો અજવાસની ભીતર મળે,
સ્થાન લેવું છે જો એવું ઘર મળે.
નેણથી પુછી લીધો જે પ્રશ્ન મેં,
મૌનરૂપી તેમનો ઉત્તર મળે.
સાંજવેળા યાદ આવે સાબરમતી,
ત્યાં પવન કેવો સરસ ફરફર મળે.
કાંકરીચાળો અહી કરતા નહીં
કાંકરિયે બીબીજી કટ્ટર મળે.
વાહ કનૈયાલાલ, મેઘાણી અરે!
ગુર્જરીની નાભીમાં અત્તર મળે.
સાવ ખુલીને હું ઉજવાઈ જાઉં
જો ગઝલરૂપી કોઇ અવસર મળે.
Kankshit Munshi
સ્થાન લેવું છે જો એવું ઘર મળે.
નેણથી પુછી લીધો જે પ્રશ્ન મેં,
મૌનરૂપી તેમનો ઉત્તર મળે.
સાંજવેળા યાદ આવે સાબરમતી,
ત્યાં પવન કેવો સરસ ફરફર મળે.
કાંકરીચાળો અહી કરતા નહીં
કાંકરિયે બીબીજી કટ્ટર મળે.
વાહ કનૈયાલાલ, મેઘાણી અરે!
ગુર્જરીની નાભીમાં અત્તર મળે.
સાવ ખુલીને હું ઉજવાઈ જાઉં
જો ગઝલરૂપી કોઇ અવસર મળે.
Kankshit Munshi
No comments:
Post a Comment