Saturday, 24 November 2012

ગુર્જરી

ક્યાંક જો અજવાસની ભીતર મળે,
સ્થાન લેવું છે જો એવું ઘર મળે.

નેણથી પુછી લીધો જે પ્રશ્ન મેં,
મૌનરૂપી તેમનો ઉત્તર મળે.

સાંજવેળા યાદ આવે સાબરમતી,
ત્યાં પવન કેવો સરસ ફરફર મળે.

કાંકરીચાળો અહી કરતા નહીં
કાંકરિયે બીબીજી કટ્ટર મળે.

વાહ કનૈયાલાલ, મેઘાણી અરે!
ગુર્જરીની નાભીમાં અત્તર મળે.

સાવ ખુલીને હું ઉજવાઈ જાઉં
જો ગઝલરૂપી કોઇ અવસર મળે.

Kankshit Munshi

No comments:

Post a Comment